<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener("load", function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <iframe src="http://www.blogger.com/navbar.g?targetBlogID=7907530&amp;blogName=%E0%AA%B2%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B&amp;publishMode=PUBLISH_MODE_FTP&amp;navbarType=BLACK&amp;layoutType=CLASSIC&amp;homepageUrl=http%3A%2F%2Fdhavalshah.com%2Flayastaro%2F&amp;searchRoot=http%3A%2F%2Fblogsearch.google.com%2F" marginwidth="0" marginheight="0" scrolling="no" frameborder="0" height="30px" width="100%" id="navbar-iframe" title="Blogger Navigation and Search"></iframe> <div></div>

Tuesday, June 27, 2006

લયસ્તરોનું નવું રૂપ, નવું સરનામું !

લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.


નવું સરનામું તદ્દન સરળ છે : Layastaro.com

લયસ્તરોના નવા સરનામે જવા અહીં ક્લીક કરો.

સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : http://layastaro.com/?feed=rss2


3 Comments:

At 7/01/2006 09:06:00 PM, Blogger Nav-Sudarshak said...

All the Best!

A welcome change for the Better....

All Best Wishes ... Harish Dave

 
At 11/05/2008 01:06:00 PM, Anonymous Anonymous said...

ankara nakliyat
en güzel evden eve nakliyat firmaları evden eve nakliyat ev nakli
evden eve nakliyat taşımacılıkevden eve nakliyat evden eve nakliyat
evden eve nakliye nakliyat evden eve nakliyat
ankara evden eve nakliyat ankara evden eve nakliyat ev taşıma
evden eve taşıma evden eve nakliyat
evden eve nakliyat transport
taşımacılıkevden eve nakliyat nakliyat
evden eve nakliyeev taşıması
evden eve nakliyat nakliye
evden eve nakliyat
en güzel evden eve nakliyat firmaları evden eve nakliyat
ankara evden eveankara evden eve
oto kiralama en iyi site oto kiralama
estetik merkezleri estetik
evden eve nakliyat taşımacılıkevden eve nakliyat evden eve nakliyat
oto kiralama araba ve oto kiralama
evden eve
web hosting hosting
lazer epilasyon ve lazerli epilasyon lazer epilasyon
evden eve taşımacılık ve nakliyat evden eve nakliyat
nakliyat nakliye taşımacılık evden eve nakliyat
zayıflama ve kilo verme zayıflama
sürücü kursu sürücü kursları
kiralık oto kiralık oto
saç ekimi merkezleri saç ekimi
tüp bebek merkezleri tüp bebek
oyun oyunlar oyunlar
en iyi toplist site ekle toplist
oyun oyunlar oyun
ankara nakliyat ankara nakliyat
web hosting web hosting
nakliyat firmaları nakliyat
dsfgeewrgfergg

 
At 11/20/2008 10:58:00 PM, Anonymous Anonymous said...

buy wow gold
cheap wow gold
wow gold
cheapest wow gold
warhammer gold
warhammer powerleveling
war gold
war powerleveling
war power leveling
cheap warhammer gold
buy wow gold
cheap wow gold
wow gold
cheapest wow gold
warhammer gold
warhammer powerleveling
war gold
war powerleveling
war power leveling
cheap warhammer gold

 

Post a Comment

<< Home

Sunday, June 25, 2006

બમ્બૈયા ગુજરાતી મ્હોરી રહી છે.

મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !

ગઝલ- જાતુષ જોશી

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.


જાતુષ જોશી

3 Comments:

At 6/25/2006 04:56:00 PM, Anonymous ધવલ said...

ગઝલ તો ઉમદા છે. ખાસ આ શેર...

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આડવાતમાં, ગઝલમાંના અઘરા શબ્દોનો અર્થ તો વારંવાર જોવો પડે છે, પણ કવિના નામનો અર્થ શોધવો પડે એવું પહેલી વાર થયું :-)

BTW, જાતુષ = લાખનું બનાવેલું.

 
At 6/26/2006 06:26:00 AM, Blogger Suresh said...

Hey Dhaval,
I also liked the same lines and I had the same question about poet's name!!
How did you get the meaning of Jatush?

 
At 11/20/2008 10:58:00 PM, Anonymous Anonymous said...

buy wow gold
cheap wow gold
wow gold
cheapest wow gold
warhammer gold
warhammer powerleveling
war gold
war powerleveling
war power leveling
cheap warhammer gold
buy wow gold
cheap wow gold
wow gold
cheapest wow gold
warhammer gold
warhammer powerleveling
war gold
war powerleveling
war power leveling
cheap warhammer gold

 

Post a Comment

<< Home

Saturday, June 24, 2006

ગુજરાતી ગઝલમાં "કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨"

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.

સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

શોભિત દેસાઈનું મન અલગ જ ગાડીમાં મુસાફરી કરે છે:

કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
ભીતરમાં લાંગર્યો છે એક કાફલો અયમન

શબ્દની ગાડીમાં સાવ જ મન વગર
મારી ઈચ્છાને ઢસેડી હોય છે

સુરેન ઠાકર ‘મેહુલ’ ગઝલ લખ્યા પછીની સંતુષ્ટિથી અભિભૂત છે:

‘મેહુલ’ ગઝલ લખીને એવું અનુભવું છું,
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો

સર્જકોની મહેફિલ હોય અને પાલનપુરી ન હોય? શૂન્ય વિનાના સૌ એકડા નિર્માલ્ય છે. જે પ્રેરણા સદૈવ ચર્ચાનો વિષય રહે છે, એ પ્રેરણાની કબૂલાત કર્યા પછી પણ એને મોઘમ જ રાખે તે ‘શૂન્ય’ પાલનપુરી:

અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી ‘શૂન્ય’ની ગઝલો લખાઈ છે !

જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય,
ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.

અમૃત ‘ઘાયલ’ ગઝલ એ દર્દ અને લોહીની પેદાશ હોવાની વાતને સિક્કો મારી આપે છે:
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં !

લખતા લહિયો થવાય એ કદાચ આદિલ મન્સૂરીની ફિલસૂફી છે:

શબ્દ સાથે ક્યાં હતો સંબંધ પણ,
લખતા લખતા અંતે લહિયો થઈ ગયો.

હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિશે.

મનહર મોદી ગધેડા જેવા પ્રતીકથી અક્ષરોનું વહન કરવાની વાત ટૂંકમાં અને સચોટ કરે છે:

કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.

મરીઝ એની સરળ ભાષામાં કવિની મર્યાદા સ્વીકારે છે:

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

મનોજ ખંડેરિયા શબ્દોની દાદાગીરી સામે નમતું જોખે છે:

“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો

આ સતત લખવાનો આશય એ જ કે
સ્વપ્નની જેવું જ કંઈ લગભગ દઉં

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો.

કાવ્યલેખનની પ્રક્રિયામાંથી હું શી રીતે પસાર થાઉં છું કે શા માટે હું કવિતા લખું છું એની કેફિયત મારે આપવાની હોય તો શું આપું? :

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.


વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’

હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

-વિવેક ટેલર

6 Comments:

At 6/24/2006 10:39:00 PM, Anonymous Anonymous said...

Mitr Vivek,
aabhar.. abhinandan... ne have kaavya sarjan ni prakriya -3 ni raah ma

Meena

 
At 6/25/2006 12:50:00 AM, Blogger radhika said...

dr. vivek tailor = shree Raish Maniar = now any comman gujarati can understand and can creat " KAVYA "


Radhika..

 
At 6/25/2006 10:14:00 AM, Blogger ધવલ said...

સર્જનની પ્રક્રિયાથી વધારે સંકુલ વિષય થોડા જ હશે. લોઢું જ લોઢાને કાપી શકે એ રીતે આ પંક્તિઓ જ સર્જનપ્રકિયાને માપી શકે.

લયસ્તરો પર રજૂ થયેલ સર્વોત્તમ પોસ્ટમાંથી એક છે.

અને હા, શ્યામ સાધુની વાત ગમી ગઈ !

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

અને...

હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.

અને, આ શેર ના ગમે એવું બને જ કેવી રીતે ?:-)

કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.

 
At 6/26/2006 01:27:00 PM, Anonymous ઉર્મિ સાગર said...

very nice selection Vivekbhai...

કવિની પોતાની ઉર્મિ પ્રત્યેની નિખાલસતા...

દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું

કવિની મર્યાદા...

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.

કવિની દાદાગીરી...

“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો

અને બીજા કેટલાયે...ખુબ જ સરસ કવિના વિવિધ ભાવો દર્શાવતી કડીઓ છે.


Enjoyed very much..
Thank you for sharing...

ઉર્મિ સાગર

 
At 7/04/2006 04:05:00 PM, Anonymous Anonymous said...

રણકે ગઝલ
દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.

રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.

ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.

સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

ગઝલ- મોહઁમદઅલી ભૈડુ”વફા”
લદાદા લદાદા લદાદા લદાદા.
ગઝલને મળ્યાછે બળાપા બળાપા.

રદિફ કાફિયાની કેવી આ બંદિશછ,
તાં રુપ એનૂ સરાપા સરાપા.

વરસ સેંક્ડોથી લખાતી રહી છે,
છતાં એના રંગો સુહાના સુહાના.

કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે,
રંગોની રમજ્ઝટ હિનાના હિનાના.

ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ,
અરબ ફારસીની ઝનાના ઝનાના.

ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ,
અને મસ્નવીના ખઝાના ખઝાના.

અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને,
થયા કેવા પગરવ મઝાના મઝાના.

વફા આ ગઝલ તો હૈયાની ભાષા,
સ્રોતા ઓ એના દિવાના દિવાના.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
ફેબ્રુ.2006
છઁદ: લદાદા લદાદા લદાદા લદાદા
(ફઊલુન ,ફઊલુન, (ફઊલુન ,ફઊલુન,)
મુતકારિબ(ભુજંગી) છન્દ.(12 અક્ષરી)

 
At 11/12/2008 11:46:00 AM, Blogger seego said...

YUUCHAN'S ROOM
Tangled up in Blue
Dixson Hager
TRY-NET
FX
HeartyLadder
ARIADNE
fx arena
INGJAPAN HomePage
ISMUSIC
DOS/V Magazine
voiceoflove
MEMORIZE
Soynd Video Produce
artelmedical.com
Netster Search Engine
Ladys Room
cdlrdesign.com
VOICE OF LOVE
TMPGEnc

seego

 

Post a Comment

<< Home

Friday, June 23, 2006

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? - વિવેક મનહર ટેલર

(પાણીની અંદરનું વિશ્વ... ....માલદીવ્સ, ફેબ્રુઆરી-02)


ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

3 Comments:

At 6/24/2006 01:49:00 AM, Blogger Nav-Sudarshak said...

વાહ, દોસ્ત, વાહ! ગઝલ તો ગમી જ. સાથે ફોટોગ્રાફ પણ... અંડર-વોટર ફોટોગ્રાફી ચેલેંજીંગ હોય છે. લાઈટ અને એક્ષ્પોઝર, રંગ અને ડેવલપિંગ ... બધાનો વિચાર કરો ત્યારે આવો સુંદર ફોટો મળે!! ... હરીશ દવે

 
At 6/24/2006 11:54:00 AM, Anonymous Anonymous said...

Mitr Vivek,
tari aa rachna kyarey nahi bhulaay..
tc
Meena

 
At 6/25/2006 02:05:00 AM, Blogger Suresh said...

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

આ કડીઓ બહુ જ ગમી.આપણામાં કંઇક ઘનની અછત છે તે ભાવ વાંચી જવાહર બક્ષી યાદ આવી ગયા - "હું ઢોલ છું પીટો મને ....."

તબીબની કવિતામાં પહેલીજ વાર તબીબ વાંચવાની મઝા આવી !

છેલ્લી બે પંક્તિઓનું રસદર્શન ગુજરાતી પોએટ્રી કોર્નર માં કરાવશો તો આનંદ થશે.

 

Post a Comment

<< Home

આંખ લૂછું છું - શેખાદમ આબુવાલા

તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે,
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

- શેખાદમ આબુવાલા

0 Comments:

Post a Comment

<< Home

Thursday, June 22, 2006

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું... - સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
                હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો'કના લગનમાં જઈએ તો લાગે
                કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
                કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
                જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
                ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
                અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
                ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
                ને બિલોરી આપણું તળાવ!

-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

6 Comments:

At 6/22/2006 11:53:00 PM, Blogger radhika said...

khari vat dhaval bhai
ane aatli prasnnatathi jivatu dampatya pan javalle j jova made chhe


..........

sundar rachna chhe

 
At 6/23/2006 03:13:00 AM, Blogger Jayshree said...

કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે....


આ રચના પણ સુરેશ દલાલ ની જ છે ને ?
Its one of my favourite.

અહીં પ્રસ્તુત રચના ખુબજ સુંદર છે. મમ્મી - પપ્પા યાદ આવી જાય એવી સુંદર....

 
At 6/23/2006 06:31:00 AM, Blogger Suresh said...

મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં ઇલા-કાવ્યો, લીલા-કાવ્યો, સોનલ-કાવ્યો પછી ડોસી-કાવ્યો ની પણ એક શૃંખલા મળશે!

 
At 6/23/2006 10:01:00 AM, Anonymous Urmi Saagar said...

soooo good! kind of inspirational!! like it very much....

 
At 6/23/2006 02:54:00 PM, Blogger manvant said...

આ ધવલ- વિવેકની જોડી સુન્દર લાગે છે !
પણ વિવેક આગળ ધવલ છુપાતો ભાસે છે !
ખેર !સુરેશભાઇએ લગ્નની જીદ રજૂ કરી અને અંતે
સોનલ કમળ,રૂપેરી ભમરો,બિલોરી તળાવ દ્વારા વહાલની પરાકાષ્ટા સર્જી છે !

 
At 9/12/2006 12:05:00 AM, Anonymous Anonymous said...

we need more of this 'rahnas'to make our coming generations realise the imortance of marriage and love that flourishes more between the two as the time goes and binds the family together

 

Post a Comment

<< Home

Tuesday, June 20, 2006

છિદ્રો - મૂકેશ વૈદ્ય

મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.

- મૂકેશ વૈદ્ય



"આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. "
"એ તો તમે જાણો !"
"કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય."
"એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં."
"???"
"!!!"

8 Comments:

At 6/21/2006 12:42:00 AM, Anonymous Gurjar Desh said...

જો અહીં મુર્તિને ભગવાનની મુર્તિનુ રૂપક આપેલું હોય તો એ રીતે લઇ શકાય કે સૌ પ્રથમ તો ભગવાન વિશે થોડુ ઘણુ જાણ્યુ. બાદમાં ભગવાને કસોટી કરી છતાં પણ મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ સહેજ પણ ઓછો થયો નહોતો.

જો અહીં મુર્તિને પ્રેમિકા સાથે સરખાવીએ તો પ્રથમ તો કુણી લાગણીના અંકુર ફુટ્યા. બાદમાં દીલ ઘવાયુ છતાં હજુ પણ મનમંદિરમાં એ મુર્તિ અકબંધ યાદોમાં સચવાયેલી છે.

 
At 6/21/2006 01:14:00 AM, Anonymous Neha said...

"એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો."

Shabdo ne shodhi ne tene, vastavikata ao sathe gothavi ne, review apanva nu nahi fave..shri Mukeshbhai ne shu samjayu ne emane lakhyu e nathi khabar pan emani ek line..Vishavas na kachaa tantu ne majboot banavi jay che...Happy!!!someone is there thinking like this way........

Wants to write in gujarati but helpless, rightnow not having keyboard & dont have patinece.

Thanks Dhavalbhai,..aa rachana share karava mate.

 
At 6/21/2006 07:43:00 AM, Blogger વિવેક said...

મને કોઈ ત્રીજો જ અર્થ દેખાય તો?


આ વાત મને તો કવિએ શિલ્પકારના સ્વાંગમાં કરેલા સર્જનની લાગે છે.... પોતાનું સર્જન... પિતા માટે એ બાળક હોઈ શકે, કવિ માટે કવિતા, ચિત્રકાર માટે ચિત્ર અને શિલ્પકાર માટે શિલ્પ.... મૂર્તિના પ્રતીક વડે પોતાના સર્જનની મહત્તા અને શાશ્વતતા બતાવવાની કોશિશ શું આ ન હોઈ શકે?

મારું સર્જન ગમે તે હોય, મને એ સદૈવ પરિપૂર્ણ જ લાગવાનું... કદીક મને ખુદને જાણ થાય કે મારા સર્જનમાં કંઈક ખામી છે તો હું એ ખામીને નજીકથી સમજવાની કોશિશ જરૂર કરવાનો... પણ નજીક જતાં મને બીજી ઘણી ખામીઓ મળે તો હું વિહ્વળ તો થવાનો જ ને! ક્યારેક મારી ખામીના મૂળ સુધી પણ હું જઈ આવું તો પણ હું મારું સર્જન અપૂર્ણ કે ખંડિત છે એમ શું સ્વીકારી શકીશ? પોતાના સર્જન માટેનો આપણો પ્રેમ એટલો તીવ્ર હોય છે કે આખેઆખું સર્જન નષ્ટ થઈ જાય તો ય આપણા દિલોદિમાગમાંથી એ કદી નાશ પામી શકતું નથી..


આ અર્થ કવિને ઈંગિત ન પણ હોય. તો પણ ખંડિત મૂર્તિના પૂજનની વાત તો નથી જ લાગતી...

 
At 6/21/2006 08:46:00 AM, Anonymous Anonymous said...

Vivek,
tari vaat sathe hu bilkul sahemat chhu. kadach mai tari pahela reply aapyo hot to mai pan aa j vaat kahi hot...
potanu sarjan... game atli tiraad nazar aave .. haiya ma akbandh j rahevani... ne kyarek aham pan akbandh j rakhva prere chhae..

Meena

 
At 6/21/2006 03:05:00 PM, Blogger manvant said...

એક સંસ્કૃત કહેવત :
છિદ્રેશ્વનર્થા: બહૂલિ ભવંતિ !
અર્થ :છિદ્રો (જોવાથી)ઘણા અનર્થો થાય છે !

 
At 6/21/2006 10:46:00 PM, Blogger ધવલ said...

આ કવિતા વાંચી ત્યારે મારા મનમા કેટલાય વિચારો એકસાથે આવેલા. અને એના પરથી મને કવિતા પછીનો સંવાદ લખવાનો વિચાર આવ્યો. જો કવિતાનો એક અને માત્ર એક જ સ્પષ્ટ અર્થ હોય, તો પછી એ કવિતા લખવાની જરૂર જ શું ?

તમે કવિતાની આંખમાં જુઓ અને તમને જે દેખાય, તે જ તમારા માટે એનો અર્થ. પ્રેમ અને ઈશ્વરની જેમ, એક જ કવિતાનો અર્થ મારા માટે અને તમારા માટે જુદો થઈ શકે. આજે એક અર્થ લાગે અને કાલે બીજો અર્થ પણ લાગી શકે.

આ મહેફીલમાં બધા પોતપોતાની વાત લઈને આવે છે એ જ મહત્વની વાત છે. દરેક મંતવ્યની પાછળ એક આખા આયખાંનો ભૂતકાળ ભરેલો હોય છે. એ મંતવ્ય ખરૂં હોય કે ખોટું હોય એ મુદ્દો નથી; મુદ્દો તો છે કે દરેક મંતવ્ય અનોખું હોય છે.

 
At 6/22/2006 02:00:00 AM, Anonymous Anonymous said...

priy Dhaval,
tari vaat sathe pan hu sahmat chhu... kaavya ae j raheshe.. arth badlaya karshe aapna vichar kai gati ma che aeni sathe...
meena

 
At 6/23/2006 10:16:00 AM, Anonymous ઉર્મિ said...

ધવલભાઇની વાત એકદમ સરસ અને સત્ય છે. મારા મતે એ કવિતા ખુબ જ સફળ અને સુંદર હોય છે જેને વાંચતા દરેક વાંચકને એ પોતાની જ લાગે... લાગે કે આ તો મારા જ અંતરના ભાવની અભિવ્યક્તિ છે... અને દરેક વ્યક્તિનાં ભાવ તો અલગ જ રહેવાનાં ને! જેટલા ભાવ તેટલા અર્થ, અને છતાં એ બધા જ કવિતામાં બન્ધ બેસે..

એવી સુંદર કવિતાઓમાંની જ આ પણ એક છે.

 

Post a Comment

<< Home

Monday, June 19, 2006

મથુરાદાસ જેરામ - ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો'રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે'વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
- મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે... સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

- ઉદયન ઠક્કર

(ફાધર્સ ડેના અવસારે)

3 Comments:

At 6/19/2006 08:34:00 PM, Anonymous Anonymous said...

Dhaval.. aabhaar.
Udayan Thakkar ni aa pitru anjli saame natmastak chhu.

Meena

 
At 6/20/2006 12:43:00 PM, Anonymous kalpan said...

dear Dhaval,
indeed a very good poem

kalpan

 
At 6/20/2006 12:54:00 PM, Blogger Siddharth said...

ધવલ,


ફરી વખત અભિનંદન.....સમયને અનુરૂપ સુંદર અને લાગણીસભર રચના રજૂ કરવા માટે....


સિદ્ધાર્થ

 

Post a Comment

<< Home

Sunday, June 18, 2006

ગઝલ- દત્તાત્રય ભટ્ટ

જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .

ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .

ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.

કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.

કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.

ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.

રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.

દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.

દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.

દત્તાત્રય ભટ્ટ

ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ "ગાલગા"ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.

1 Comments:

At 6/18/2006 10:05:00 PM, Blogger ધવલ said...

ટૂંકી બહેરની ગઝલો આમ પણ મને વિશેષ ગમે છે. શબ્દો જેટલા થોડા એટલી જ અર્થને વધુ મોકળાશ. એમાંય પ્રાકૃત શબ્દોનો ઉપયોગ અહીં અલગ અસર ઉપજાવે છે.

 

Post a Comment

<< Home

Saturday, June 17, 2006

ગુજરાતી ગઝલમાં "કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧"

ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.

કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પતિભા થઈ નથી શકતી.

સુરતના જ ડૉ. રઈશ મનીઆરના કહેવા પ્રમાણે ગઝલ એટલે પોતાની જાતથી અલગ થવાની પ્રક્રિયા:

ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

એ ય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.

જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:

એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં

કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.

રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છે

છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?

રમેશ, હું પયગંબર થઈને વરસું છું,
કાગળિયા છલકાવું છું સરવરની જેમ

રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.

કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,
શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.

પરોવું મોતી જેમ શૂન્યતાના ઝુલ્ફોમાં
ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.

અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:

છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.

મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

વાહ, ‘ઘાયલ’, ગઝલ !
જ્ઞાન સાથે ગમત.

મનોજ ખંડેરિયા પણ કવિતાની આગ ઝરતી તાકાતથી અજાણ્યા નથી જ:

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

કવિ અનિલ જોશી કહે છે:

ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી.

અંતે આ ઈશ્વરદત્ત બક્ષીસ વિશે મારે કશુંક કહેવું હોય તો શું કહું? :

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !
-વિવેક ટેલર

7 Comments:

At 6/17/2006 08:07:00 AM, Anonymous Anonymous said...

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
ડૉ.વિવેક ટેલર્

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
મનોજ ખંડેરિયા

ખૂબ સરસ વાત....!!!

 
At 6/17/2006 08:08:00 AM, Anonymous Neha said...

The talk of teaching in form of poem...Just Fantastic !!

 
At 6/17/2006 08:09:00 AM, Anonymous SV said...

અને વિવેક ટેલર શું કહે છે?

 
At 6/17/2006 08:09:00 AM, Blogger વિવેક said...

વિવેક ટેલર શું કહે છે એ છેલ્લા ત્રણ શેરમાં લખ્યું જ છે:

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !

 
At 6/17/2006 07:51:00 PM, Anonymous urmi said...

વિવેકભાઇ,

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ

આ બંને પંક્તિઓ ખૂબ જ હ્રદયસ્પર્શી છે!!
હ્રદયની ઉર્મિને તમે ખુબ જ સુંદર રીતે રજૂ કરી છે.
"કે ક્ષર કાગજ પે..." માં તમે હિન્દી ભાષાનો ઉપયોગ કેમ કર્યો એ સમજાતું નથી...

ઉર્મિ સાગર

 
At 6/21/2006 11:57:00 PM, Blogger નસરૂલ સૈયદ said...

માનનીય‌ વડીલો−
ખૂબ સરસ વાત છે!!! છતાં
ગુજરાતી ગઝલની વાત છે અને એકપણ પાલનપુરીનું નામ નથી. કંઈક ખૂટે છે, જે મને ખુંચે છે.
-બાકી blog બહુ સરસ છે.

નસરૂલ સૈયદ

 
At 6/22/2006 01:52:00 AM, Blogger વિવેક said...

શ્રી નસરૂલભાઈ સૈયદ,

આપની વાત સાચી છે. સ્થળસંકોચના કારણે ઘણાં નામ અહીં નથી. પણ આપ જો પોસ્ટનું શીર્ષક જોશો તો જણાશે કે આ આપોસ્ટનો અંત નથી, આરંભ છે. આ પહેલી કડી છે અને શનિવારે તમને બીજી કડી પણ જોવા મળશે... જો આપ પાસે સૈફસાહેબ અથવા શૂન્યનો કોઈ શેર આ પ્રક્રિયાના અનુસંધાનમાં હોય તો મોકલશો, જેથી આપના ઋણસ્વીકાર સાથે એ શનિવારે મૂકી શકાય.

 

Post a Comment

<< Home

Friday, June 16, 2006

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.

ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.

1 Comments:

At 6/17/2006 09:24:00 PM, Anonymous Urmi said...

Thank you very much Dhavalbhai...

I hope to keep my blog interesting enough for everyone to visit and enjoy...

Also, I have made the site-change per your suggestion. Thank you for your suggestion...

Thanks again...

 

Post a Comment

<< Home

નેટ પર સાંભળો સોલીનું આલ્બમ

સોલી કાપડિયા એ ગુજરાતી સંગીતજગતમાં સૌથી વધારે સૂરીલા નામો માંથી એક છે. સોલીભાઈ મૂળ સૂરતના પણ પાછળથી મુંબઈ એમની કર્મભૂમિ. સોલી વિષેની એક વેબસાઈટ આજે જોવામાં આવી. (આભાર, જયશ્રી).

આ વેબસાઈટમાં સોલી વિષે ઘણી માહિતી ઉપરાંત એનુ એક આલ્બમ પ્રેમ એટલે કે... સાંભળી પણ શકો છો. ઘણા વખતે સોલીનો કંઠ સાંભળીને આનંદ થઈ ગયો.આ આલ્બમના ગીતોમાંથી પ્રેમ એટલે..., આ શ્હેર... અને એમ પણ બને પહેલાં લયસ્તરોમાં રજૂ કરેલા છે, એ પણ સાથે જોશો.

2 Comments:

At 7/01/2007 01:05:00 AM, Anonymous OJAS MEHTA said...

Soli Kapadia is an amazing singer...I think he is one of my favourite singer.I really love his voice,his clarity in voice, his dictions, his expressions in each and every songs. Being a singer i know how much difficult it is, to maintain all these difficult things while you are performing...He is an amazing composer, arrenger and extra ordinary performer when Nishaji [His wife ] is with him..i think he is inimmetable...May god give him strainght to provide this kind of music whole life to his fans

Here are his albums....

01. PREM ETLY KE
02. NAJAR NA JAAM CHALKAVI NE
03. TARI AANHK NO AFINI
04. MARA HRIDAY NI VAAT
05. EK KAAGAL HARIVAR NE
06. NAYAN NE BANDH RAKHI NE
07. AAPNA SAMBANDH
08. O'SAJANA [ NISHA KAPADIA]
09. DIL-E-UTHYA JE SUR
10. SANAM SHOKEEN
11. NAJAR NE KAHI DO KE
12. KAHU KHAAS CHE.[ NISHA KAPADIA ]

THERE ARE SO MANY ALBUMS OF HIS JAIN STAVANS...

 
At 7/01/2007 03:15:00 AM, Anonymous Ojas Mehta said...

Soli Kapadia is an amazing singer...I think he is one of my favourite singer.I really love his voice,his clarity in voice, his dictions, his expressions in each and every songs. Being a singer i know how much difficult it is, to maintain all these difficult things while you are performing...He is an amazing composer, arrenger and extra ordinary performer when Nishaji [His wife ] is with him..i think he is inimmetable...May god give him strainght to provide this kind of music whole life to his fans

Here are his albums....

01. PREM ETLY KE
02. NAJAR NA JAAM CHALKAVI NE
03. TARI AANHK NO AFINI
04. MARA HRIDAY NI VAAT
05. EK KAAGAL HARIVAR NE
06. NAYAN NE BANDH RAKHI NE
07. AAPNA SAMBANDH
08. O'SAJANA [ NISHA KAPADIA]
09. DIL-E-UTHYA JE SUR
10. SANAM SHOKEEN
11. NAJAR NE KAHI DO KE
12. KAHU KHAAS CHE.[ NISHA KAPADIA ]

THERE ARE SO MANY ALBUMS OF HIS JAIN STAVANS...

 

Post a Comment

<< Home

મોરપિચ્છ અને ટહુકો

સાન ફ્રાન્સિસ્કોથી જયશ્રીએ બે સરસ ગુજરાતી બ્લોગ શરુ કર્યા છે.બન્નેના નામ પણ મઝાના રાખ્યા છે - મોરપિચ્છ અને ટહુકો.

મોરપિચ્છમાં એ કવિતા, ફોટા, પોતાના વિચારો અને સમાચારો મૂકવાનો વિચાર રાખે છે. જ્યારે ટહુકો બ્લોગમાં માત્ર સંગીત વિષયક વાતો આવશે. શરુઆતના પોસ્ટ પરથી આ બન્ને બ્લોગ ખૂબ રસપ્રદ બની રહેશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, જયશ્રી.

1 Comments:

At 6/17/2006 11:34:00 AM, Blogger Jayshree said...

Thank you, Dhavalbhai...

I hope I can meet everyone's expectations..

 

Post a Comment

<< Home

Thursday, June 15, 2006

ગીત - રાવજી પટેલ

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

- રાવજી પટેલ


સામાન્ય રીતે કવિતામાં પ્રેમીઓ પ્રકૃતિમાંથી પ્રેરણા લેતા હોય એવી વાત આવે છે. જ્યારે અહીં તો કવિએ એવા મુસ્તાક પ્રેમની વાત કરી છે જેના પરથી ખુદ પ્રકૃતિ (અને બીજા ઘણાં) પ્રેરણા મેળવે છે. 'આપણને જોઈ, પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.' એ પંક્તિથી કવિ તદ્દન સહજ રીતે જ પ્રસન્ન દામ્પત્યનું દીલને અડકી જાય એવું ચિત્ર દોરી આપે છે.

(મોડ=લગ્ન વગેરે શુભ પ્રસંગે પહેરાતો માથાનો શણગાર)

0 Comments:

Post a Comment

<< Home

Wednesday, June 14, 2006

ઊર્ધ્વમૂલ - રાજેન્દ્ર શુક્લ

ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.

હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.

મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.

તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.

ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.

- રાજેન્દ્ર શુક્લ

(મકરંદ=પુષ્પરસ)

2 Comments:

At 6/15/2006 02:14:00 AM, Blogger Nav-Sudarshak said...

આ ઉર્ધ્વમૂલ ... હું જ પરમ મકરંદ ઝરતું વૃક્ષ ...... અને છતાં માનવી શું શું શોધવા ક્યાં ભટકે? સુંદર રચના. ..... હરીશ દવે

 
At 6/15/2006 09:04:00 AM, Blogger પ્રત્યાયન said...

One of my favourite gazal.
Thanks VivekBhai-DhavalBhai.
Hope you have access to more gazals from poets's: GazalSamhita

 

Post a Comment

<< Home

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું? - વિવેક મનહર ટેલર


આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર...પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો......(શું કરું?)

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

3 Comments:

At 6/14/2006 11:19:00 PM, Blogger Suresh said...

આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર...પણ દૂર લાગ્યો, શું કરું?

આવી નવિન ઉપમા આપી શકવા માટે એક વિશિષ્ટ દૃષ્ટિ જોઇએ ! બારણાના આઇપીસ માંથી ઘણાએ જોયું હશે, પણ આ દૃષ્ટિ માટે વિવેક જોઇએ !

 
At 6/15/2006 02:07:00 AM, Blogger Nav-Sudarshak said...

જે હિજ્રને જાણે, તે વસ્લને જાણે.
વસ્લમાં શબ્દોની શી જરૂર? દર્શન થયાં તો શબ્દ ખોવાઈ ગયાં!
છતાં ય તે વિરલ ક્ષણે કોઈ અસ્ફૂટ શબ્દ સ્ફૂરે ત્યારે જ, મારા દોસ્ત! તમારા હ્રદયમાંથી નીકળે: વસ્લની વચ્ચે સ્ફૂરેલો શબ્દ છુ! સલામ આ શબ્દોને, વિવેક! મેં ચાર વખત આ રચના વાંચી. તમારી બંનેની મિત્રતા ગુજરાતી ભાષાને ખૂબ ઉપયોગી થશે.
.... હરીશ દવે

 
At 6/15/2006 12:25:00 PM, Blogger manvant said...

Me mane koraane mookyo,shu karu ?
saras aatmakhoja chhe !Sorry,aaje guj. font vaaparee nathee shakyo !oso

 

Post a Comment

<< Home

Tuesday, June 13, 2006

રમવું જોઈએ - ઉમર ખૈયામ અનુ.'શૂન્ય' પાલનપુરી

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

- ઉમર ખૈયામ
( અનુ.'શૂન્ય' પાલનપુરી )

2 Comments:

At 6/13/2006 08:54:00 PM, Anonymous Anonymous said...

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

-kabul karye j chhutko chae. aevi sachaai jena thi koi mukh na fervi sake

 
At 6/15/2006 04:13:00 PM, Anonymous shriya said...

વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

Saras!

shriya

 

Post a Comment

<< Home

Monday, June 12, 2006

એ સોળ વરસની છોરી - પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી


ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી


મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી


એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી


- પ્રિયકાંત મણિયાર


પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.

0 Comments:

Post a Comment

<< Home

Sunday, June 11, 2006

ગીત - સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

-સંદીપ ભાટિયા

1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.

4 Comments:

At 6/11/2006 07:50:00 AM, Anonymous Neha said...

પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
Excellent Line...

 
At 6/12/2006 12:08:00 AM, Blogger radhika said...

sundar gazL CHHE.....

Shu vat chhe hamnathi laystaro ma mrutu no vishay vadhare j charchai rahyo chhe !!!!!

 
At 6/15/2006 08:29:00 AM, Anonymous priyal said...

A great song indeed! To better understand life one must understand death. This song is beautifully composed & sung by Asit Desai.

 
At 6/15/2006 09:06:00 AM, Blogger પ્રત્યાયન said...

Will it be possible to hear this song? Can you put a private link for few days?

 

Post a Comment

<< Home

Saturday, June 10, 2006

કવિ કલાપીની પુણ્યતિથિ પર....

દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર... અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે... (જન્મ: 26-02-1874)

1 Comments:

At 6/13/2006 11:19:00 PM, Blogger ધવલ said...

કલાપીએ મણિલાલ દ્વિવેદીને લખેલો આ પત્ર જે મૂળ 'આરપાર'માં પ્રસિદ્ધ થયેલો જોવા જેવો છે. કલાપી રાજા (રાજ્યના અને શબ્દના) હોવા છતાં સૌથી પહેલા તો એક અદના પ્રેમી જ હતા, એમની કવિતામાં એટલે જ તો સચ્ચાઈ અને સંવેદના સહજ રીતે ઊતરી આવે છે.

 

Post a Comment

<< Home

Friday, June 09, 2006

વધુને વધુ નવા બ્લોગ !

નવા બ્લોગનો હવે અઠવાડિક વિભાગ શરુ કરવો પડશે એમ લાગે છે ! ગુજરાતી બ્લોગજગતમાં આટલા બધા લોકો આટલી ઝડપથી જોડાશે એવી કલ્પના પણ કોણે કરેલી ?


  • વિચાર જગત ( A Surati's view ) એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સૂરતી નિમેષનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો અને અનુભવો મુક્યા છે.
  • Arsh’s Collection એ નિશિથ શુક્લનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ છે.
  • કલરવ એ વિવેક શાહનો ગુજરાતી ગીતોનો બ્લોગ છે. એના પર તમે ગુજરાતી ગીતો સાંભળી શકો છો.

બધાનું ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત !

0 Comments:

Post a Comment

<< Home

Thursday, June 08, 2006

સંજોગોના પાલવમાં - સૈફ પાલનપુરી

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

3 Comments:

At 6/09/2006 05:58:00 PM, Anonymous shriya said...

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
Waah!

shriya

 
At 6/11/2006 12:15:00 AM, Blogger વિવેક said...

લાશ તરીને કિનારા પર આવે છે એ અભિવ્યક્તિ ગુજરાતી કવિતામાં ઘણી વાર જોવામાં આવે છે:

પછી જ્યારે મારો મૃતદેહ તણાઈને કિનારા ઉપર આવ્યો, ત્યારે સમજાયું કે જે ભાર હતો એ દેહનો નહીં, શ્વાસનો હતો.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

 
At 10/28/2007 10:48:00 PM, Anonymous Anonymous said...

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

kharekhar khubj sundar ane vivek saaheb je sher anhhi share karyo chhe from ghazal"nayan ne bandh raakhi ne" very nice.

 

Post a Comment

<< Home

Wednesday, June 07, 2006

તકિયો - પુ.શિ.રેગે

ક્યારે આમ
તકિયા પરની થઈ
ચાંદની, તડકો ?

-પુ.શિ.રેગે
(અનુ. - જયા મહેતા)

0 Comments:

Post a Comment

<< Home

'ડી'નું (બ્લોગ) જગત

વડોદરાથી 'ડી'એ નવો બ્લોગ Dee's World શરુ કર્યો છે. બ્લોગ પર અત્યારે એની સ્વરચિત લઘુકવિતાઓ છે. આશા રાખીએ કે એ વધુને વધુ સામગ્રી બ્લોગ પર લાવે. અહીં એની જ એક લઘુકવિતા માણો.

મારો પરિવાર એટલે
સાંજ...
દરિયો...
રેતી...
ઉદાસી..
અને
હું.

(આભાર, વિશાલ)

4 Comments:

At 6/08/2006 02:59:00 AM, Blogger radhika said...

nice composition,metra ek ek shabda no use kari sundar bhavvahi nirupan karau chhe

 
At 6/09/2006 12:33:00 AM, Anonymous Anonymous said...

bahu j soonder abhivyakti...

Meena

 
At 6/10/2006 07:38:00 AM, Anonymous Himadri said...

shu sanj, dariyo ane reti na nasib ma udasi j lakhayeli chhe? Sanj ne pan khush thai ne khulavu chhe, dariya ne pan zumati sanj na e palav ma ghughvavu chhe ane reti ne pan to khush thai ne udavu chhe. shu tamara parivar ma thi udasi ne saharsh viday na aapi shakay?

 
At 6/16/2006 04:57:00 AM, Blogger Dee said...

પ્રથમ તો વિશાલભાઈ અને ધવલભાઈ નો આભાર્..બ્લોગ ની દુનિયા માં પા પા પગલી ભરી રહેલાં મારાં બ્લોગ ની નોંધ લઈ મને અનેક વાચકો મેળવી આપવા બદલ.
હિમાદ્રી ને કહેવાનું કે આપનું સૂચન ખૂબજ સુંદર છે.ઉદાસી ને પરિવાર માં સ્થાન જ ના હોવું જોઇએ.પણ આનંદ ની જેમ વિષાદ પણ આપણા ભાવ-જગત નો જ હિસ્સો હોય છે..અને આવી અનેક લાગણીઓ ની વચ્ચે આંદોલિત થયા કરવાનું નામ જ જીવન.મારી લઘુ કવિતા આવી જ કો'ક ક્ષણે ક્લિક થઈ હશે.
ડી ( ધર્મેશ )

 

Post a Comment

<< Home

Tuesday, June 06, 2006

ગીતાંજલી - 67 -રવીન્દ્રનાથ ઠાકુર

તું છે આકાશ મારું અને તું જ મારો માળો.

હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.

દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.

ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ - શૈલેશ પારેખ


ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)

1 Comments:

At 6/09/2006 12:39:00 PM, Blogger પ્રત્યાયન said...

It would be nice to following link:
http://www.parabaas.com/rabindranath/index.html

 

Post a Comment

<< Home

આવડી જાય છે - રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ'
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

- રઈશ મનીયાર

2 Comments:

At 6/07/2006 11:30:00 AM, Anonymous Neha said...

Nice One..

The way to say..Nothing is Impossible

 
At 6/07/2006 11:30:00 AM, Anonymous Neha said...

Nice One..

The way to say..Nothing is Impossible

 

Post a Comment

<< Home

એષા દાદાવાળાને હાર્દિક અભિનંદન...!

લયસ્તરોનું વાંચકવૃંદ એષા દાદાવાળાના નામથી પરિચિત છે જ. એક કુંવારી છોકરીએ લખેલી પિતૃત્વની ભાવવાહી કવિતાઓથી આપણે વહી ગયેલી પળોમાં અઢળક ભીંજાયા છીએ. ‘કવિતા’ના એપ્રિલ-મે 2006ના અંકમાં એષાની લયસ્તરો પર અગાઉ આપણે માણેલી બે રચનાઓ ‘પગફેરો...!’ અને ‘ભ્રુણ હત્યા...!’ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત 4-6-2006ના દિવ્યભાસ્કરની રવિવારીય ‘મહેફીલ’ પૂર્તિમાં સુરેશ દલાલે ‘પગફેરો...!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. એષા અભિનય ક્ષેત્રે પણ ઝડપભેર આગળ વધતું નામ છે અને થોડા સમય પહેલાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી હતી. લયસ્તરો તરફથી એષાને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ....

2 Comments:

At 6/06/2006 11:04:00 AM, Anonymous ધવલ said...

અભિનંદન, એષા !

 
At 6/15/2006 12:42:00 AM, Anonymous esha said...

Thank you 'LAY STARO'

 

Post a Comment

<< Home

Monday, June 05, 2006

રાત, પ્રતીક્ષા - જવાહર બક્ષી

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું

હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?

થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું

આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો...તો આંખો ખોલું

- જવાહર બક્ષી



જવાહર બક્ષી ગુજરાતી ગઝલમાં અનેરો અવાજ છે. વર્ષો સુધી જતનપૂર્વક સેવેલી ગઝલોનો એમનો સંગ્રહ તારાપણાના શહેરમાં ગુજરાતી ગઝલનું એક સિમાચિહ્ન છે. એમની જ આગળ રજૂ કરેલી ગઝલો પણ જોશો : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી અને હું તને કયાંથી મળું ?

1 Comments:

At 6/07/2006 02:25:00 AM, Blogger વિવેક said...

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો...તો આંખો ખોલું

-સુંદર શેર!
જવાહર બક્ષીની ગઝલોમાં શબ્દો જે સહજતાથી સરી આવે છે અને અર્થોના આકાશ જે અવનવાં રંગો લઈને ઉઘડે છે એ માણવું એક સૌભાગ્ય છે...

 

Post a Comment

<< Home